<<<< *બેન્કેબલ યોજના માટેની લોન* >>>>
*પાત્રતાના માપદંડ*
• હાલમાં વાર્ષિક
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-
છે.
*સહાયનું ધોરણ*
• સામાજિક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,અને લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ/નાના
વ્યવસાયો શરૂ કરવા માટે સહાય પુરી પાડીને આર્થિક રીતે પગભર કરવાનો છે.
• સામાજિક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે
રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત
(ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય)
આપવામાં આવે છે.
• આર્થિક રીતે પછાત
વર્ગ, લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે
રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત
(ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૩૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય)
આપવામાં આવે છે.
*રજુ કરવાના ડોક્યુમેંટ*
• રેશનકાર્ડ ઓળખપત્ર
• જાતિનું પ્રમાણપત્ર/
શાળા છોડયાનું પ્રમાણપત્ર
• આવકનું પ્રમાણપત્ર
• ક્વોટેશન
• બેંક પાસબૂક/ રદ
કરેલ ચેક
• અરજદારના ફોટો
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ હવે
ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી
શકશે.
• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ
ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી
કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ
હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.






0 comments:
Post a Comment