EDUCATION AND ENVIRONMENT

Flag Counter

ડો.આંબેડકર આવાસ યોજના

           <<<<     *ડો.આંબેડકર આવાસ યોજના* >>>>

 

*યોજનાનો હેતુ*

• અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

 

*નિયમો અને શરતો*

• લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.

ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

• ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.

• આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.

 

*રજુ કરવાના પુરાવાઓ *

• અરજદારનું આધાર કાર્ડ

• અરજદારનું રેશનકાર્ડ

• અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

• અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો

• રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

• જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )

• બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

• પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

• જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી

• ચૂંટણી ઓળખપત્ર

• મકાન બાંધકામ ચિઠ્ઠી

• અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

 

*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

 

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/AAYViewApplicantDetails.pdf

0 comments:

Post a Comment