<< પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય>>
યોજના- કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
*યોજનાની ઝાંખી અને વિશેષતાઓ*
• લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.
• પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.
• રૂ.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.
• લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.
• આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અઠવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.
• લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.
*યોજનાનો વ્યાપ*
• લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.
• ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
*મળવાપાત્ર સહાય*
• કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)
• જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (રૂ.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્યસરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (રૂ.બે લાખ) ની રહેશે.
*લાભાર્થી ની પાત્રતા*
• જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
• અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
• કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
• અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
*અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવા*
• જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)
• લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો(૩ લાખ થી પછી આવક મર્યાદા)
• લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંધનામું.
• આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના દરેક સભ્યની)
• મતદાનકાર્ડ ની નકલ
• બેંક પાસબુક / કેન્સલ ચેક
• રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો
• લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
• સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો ધ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ સંમતિપત્ર.
*લાભ મેળવવા અરજી ક્યાં કરવી ?*
• મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
• જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
• ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
• વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈટ ની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો.






0 comments:
Post a Comment