EDUCATION AND ENVIRONMENT

Flag Counter

સંતસુરદાસ યોજના (પેન્શન)

  <<<   *સંતસુરદાસ યોજના (પેન્શન)* >>>

 

*યોજનાનો ઉદ્દેશ:*

તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.

 

*પાત્રતાના ધોરણો*

• લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.

• અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)

• અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વધુ જોઈએ.

• તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPS માં તબદીલ કરવામાં આવે છે.)

 

*જરૂરી પુરાવા*

અરજદાર નો આધારકાર્ડ

અરજદાર નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરા બીલ)

અરજદારનું રેશનકાર્ડ (બીપીએલ)

અરજદારનું વિકલાંગતા નું કાર્ડ

અરજદારનું શાળાછોડ્યાનું પ્રમાણપત્ર

અરજદારની બેંકપાસબુક ની નકલ/કેન્સલ ચેક

 

*યોજનાના ફાયદા / સહાય:*

માસિક રૂા. ૬૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)

વિશેષ નોંધ

1. ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.

2. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.

3. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

 

*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

• આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

 

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/SantSurdasEmptyForm.pdf

0 comments:

Post a Comment