EDUCATION AND ENVIRONMENT

Flag Counter

અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન

<<*અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન*>>

 

*યોજનાનો ઉદ્દેશ:*

અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

 

*પાત્રતાના ધોરણો*

• અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઇએ.

• અરજદારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરો અથવા ઇન્ડિયમ સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા  પ્રાપ્ત હોય તેવા વિદ્યાથીઓને/અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.

• અરજદાર જે વિદેશની યુનિ.માં માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.

• વિદેશમાં અભ્યાસ કરવા માટેના  સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ

મેળવી રજુ કરવાનો

• આવી  યોજનાઓનો લાભ  કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક

મર્યાદા ધ્યાનમાં આવશે નહિ.

• હેઠળ ગુજરાત રાજ્યમાં કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓ સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્રમો કે પદવીઓ માટે જ લોન આપવામાં આવશે.

 

*યોજનાના ફાયદા/સહાયઃ*

લોન મહતમ રૂ.૧૫.૦૦ લાખ (પંદર લાખ)

પ્રક્રિયા

• અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ.

• અરજદારે પસાર કરેલી મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ

• સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ

• લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા

• લાભાર્થીનું પોતાનુ રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટ્રડન્ટ વિઝા, વિદેશમાં યુનિ.માં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે

• આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે.

• આ યોજના હેઠળ લોન મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે આપવાની બાંહેધરી રૂા.૫૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.

• ઇચ્છતા ઉમેદવારના કોઈ સગા સંબંધી

• આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત કરેલા હોવા

• લાભાર્થીએ અી યોજના હેઠળ લોનની રકમ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.

 

*અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:*

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી

0 comments:

Post a Comment