EDUCATION AND ENVIRONMENT

Flag Counter

માનવ ગરિમા યોજના માટે જરૂરી પુરાવા

 

<<<  *માનવ ગરિમા યોજના માટે જરૂરી પુરાવા.*>>>

 

*પાત્રતાના માપદંડ*

હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.,૫૦,૦૦૦/- છે.

 

*સહાયનું ધોરણ*

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

 

*રજુ કરવાના ડોક્યુમેંટ*

આધાર કાર્ડ

રેશન કાર્ડ

અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)

અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો

તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો

અભ્યાસનો પુરાવો

વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

બાંહેધરી પત્રક

અરજદારના ફોટો

 

*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalyan.gujarat.gov.in/

0 comments:

Post a Comment